બાંગ્લાદેશી ગૌતસ્કરોએ BSF જવાનનું અપહરણ કર્યું

ભારત-બાંગ્લાદેશ સરહદ પર શનિવારે વહેલી સવારે કેટલાક બાંગ્લાદેશી ગાય તસ્કરોએ એક BSF જવાનનું અપહરણ કરી લીધું. ગાય તસ્કરો ગાઢ ધુમ્મસનો ફાયદો ઉઠાવીને જવાનને સાથે લઈ ગયા.

જોકે, બાદમાં બદમાશોએ જવાનને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (BGB)ને સોંપી દીધો. બંને દેશો વચ્ચે વાતચીત બાદ જવાનને પાછો લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના મેખલીગંજ વિસ્તારમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર શનિવારે સવારે લગભગ 4:45 વાગ્યે બની હતી. BSF સૂત્રો અનુસાર, જવાનનું નામ બેદ પ્રકાશ છે. તે BSFની 174મી બટાલિયનમાં તહેનાત છે અને અર્જુન કેમ્પ સાથે જોડાયેલા છે.

ડ્યુટી દરમિયાન જવાનોએ જોયું કે સરહદના એક ખાલી ભાગમાંથી પશુઓનું એક ટોળું ભારતીય ક્ષેત્રમાં ઘૂસી આવ્યું. તસ્કરોને ભગાડતી વખતે બેદ પ્રકાશ બાકીના જવાનોથી થોડા આગળ નીકળી ગયા.

આ દરમિયાન ગાઢ ધુમ્મસને કારણે તેઓ પોતાની ટુકડીથી અલગ પડી ગયા. તકનો લાભ ઉઠાવીને બાંગ્લાદેશી બદમાશો તેમને પશુઓ સાથે બાંગ્લાદેશ લઈ જઈને અપહરણ કરી ગયા.

ઘટનાની જાણ થતાં જ BSF સેક્ટર કમાન્ડરે BGBનો સંપર્ક કર્યો. બાંગ્લાદેશ તરફથી BSFને જણાવવામાં આવ્યું કે ભારતીય જવાન સુરક્ષિત છે અને હાલમાં બીઓપી આંગારપોટામાં હાજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *