બાંગ્લાદેશમાં વધુ એક હિંદુને જીવતો સળગાવ્યો

બાંગ્લાદેશમાં ફરી એક હિંદુ વ્યક્તિને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. શરિયતપુર જિલ્લામાં 31 ડિસેમ્બરના રોજ 50 વર્ષીય ખોકોન દાસ પર ટોળાએ હુમલો કર્યો. ખોકોન દાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા. પહેલા તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, પછી નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને આગ ચાંપી દેવામાં આવી.

આ હુમલામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા. ઘાયલ અવસ્થામાં ખોકોન દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

બાંગ્લાદેશમાં 15 દિવસમાં બીજી વખત હિંદુ વ્યક્તિને આગને હવાલે કરવામાં આવ્યો છે. આ પહેલાં 18 ડિસેમ્બરે મયમનસિંહ જિલ્લામાં હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસને ભીડે માર મારીને મારી નાખ્યો હતો. ત્યાર બાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને આગ લગાડી દેવામાં આવી હતી.

દીપુ દાસને ભીડે ઈશનિંદાના ખોટા આરોપો લગાવીને માર માર્યો હતો. તેઓ એક કાપડ ફેક્ટરીમાં કામ કરતા હતા. આ મામલાની તપાસમાં સામે આવ્યું કે જે દાવાના આધારે ભીડે હુમલો કર્યો હતો, તેના કોઈ પુરાવા મળ્યા નથી.

સોશિયલ મીડિયા પર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે દીપુ ચંદ્ર દાસે ફેસબુક પર એવી ટિપ્પણી કરી હતી, જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી, પરંતુ તપાસ એજન્સીઓનું કહેવું છે કે હજુ સુધી આવી કોઈ પોસ્ટ કે ટિપ્પણીના પુરાવા મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *