બાંગ્લાદેશમાં ફરી એકવાર ભારત વિરોધી પ્રદર્શનો શરૂ થયા છે. ઇન્કિલાબ મંચે નેતા ઉસ્માન હાદીની હત્યા વિરુદ્ધ ન્યાયની માંગણી સાથે ઢાકાના શાહબાગ વિસ્તારમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન ભારત વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા.
જુમ્માની નમાઝ બાદ ઢાકા યુનિવર્સિટીમાંથી સરઘસ કાઢવામાં આવ્યું, જે શાહબાગ પહોંચીને ધરણામાં ફેરવાઈ ગયું. પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી દીધો, જેના કારણે વિસ્તારમાં વાહનવ્યવહાર થંભી ગયો. ઇન્કિલાબ મંચનું કહેવું છે કે જ્યાં સુધી હાદીની હત્યામાં ન્યાય નહીં મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
શરીફ ઉસ્માન હાદીની ગયા અઠવાડિયે હત્યા કરવામાં આવી હતી, જેના પછી દેશમાં ફરી એકવાર અશાંતિ ફેલાઈ ગઈ છે. પ્રદર્શન દરમિયાન ‘આઈ એમ હાદી’ જેવા નારા ગુંજતા રહ્યા. ઢાકા યુનિવર્સિટી એ જ જગ્યા છે, જ્યાં જુલાઈ 2024માં થયેલા આંદોલનની રણનીતિ બની હતી.