તમને યાદ હશે. 15 ડિસેમ્બર 2022ના દિવસે રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો ઈન્ટરવ્યુ લીધો હતો. ત્યારે રઘુરામ રાજને કહેલું કે, ભારતની નિકાસ ઓછી છે. વિકાસમાં અવરોધ છે. લોકશાહી આપણી તાકાત છે એટલે ભારતે આફત વચ્ચે અવસર શોધવો જોઈએ. આ વાતને ચાર વર્ષ વીતી ગયા. રઘુરામ રાજનનો એ ઈન્ટરવ્યુ જોઈએ તો થાય કે, રાજનની વાત તો સાચી હતી.
ભારતનું યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે તે પહેલાં રઘુરામ રાજને PTI સાથેની વાતચીતમાં કેટલાક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી છે.
વાત એમ છે કે, દુનિયા એવા વળાંક પર ઊભી છે જ્યાં એક ખોટો નિર્ણય દુનિયાના કોઈપણ દેશને વર્ષો પાછળ ધકેલી શકે છે. યુદ્ધ, ટ્રેડવોર, ટેરિફ, ખર્ચનો જંગી પહાડ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની તેજ રફતાર અને મહાસત્તા માટે ખેંચતાણ. આ બધા વચ્ચે ભારત એવા ત્રિભેટે ઊભું છે કે તેણે બહુ સમજી વિચારીને નિર્ણય લેવા પડશે.