પડધરી, વીરપુર, પાટણવાવ સહિત સૌરાષ્ટ્રમાં નવા 9 સબ ડિવિઝન બનશે, વીજળી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ થશે

રાજકોટ જિલ્લામાં પડધરી, વીરપુર અને પાટણવાવ સહિત નવા 09 સબ ડિવિઝનની સરકારમાંથી મંજૂરી મળતા હવે ત્યાં સ્ટાફ નિયુક્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. નિયત કરતા વધુ ગ્રાહકો એક જ સબ ડિવિઝનમાં થઇ જતા સમયાંતરે તે સબ ડિવિઝનમાંથી બાયફર્કેશન કરવામાં આવે છે. એવી જ રીતે જુદા જુદા સબ ડિવિઝનમાંથી નવા 9 સબ ડિવિઝન બનશે.

આવું કરવાથી વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પાડી શકાશે. પીજીવીસીએલ વીજ વિતરણ વ્યવસ્થા વધુ સારી બનાવી શકશે. 9 સબ ડિવિઝનમાં રાજકોટ જિલ્લાના 3 ઉપરાંત આ સિવાય બોટાદના વડોદ, પોરબંદરના આજીવાડા, જામનગરના ફલ્લા, જૂનાગઢના મોટા કોટડા, પાલિતાણાના વિઠલપુરમાં નવા સબ ડિવિઝન બનશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધતા શહેરીકરણ-વસ્તીથી વીજમાંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વીજવિતરણ વ્યવસ્થામાં સાતત્ય જળવાય રહે અને લોકોને પૂરતા પ્રમાણમાં વીજળી આપી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં ત્રણ સહિત સૌરાષ્ટ્રમાં નવા 9 સબ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. કુલ અંદાજિત 335 જગ્યાઓ-સ્ટાફનું નવું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *