પંજાબ કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઘરોની વહેંચણી કરી દીધી છે. તેમણે અમૃતસર સ્થિત મકાન પોતાની દીકરી રાબિયાને અને પટિયાલા સ્થિત પૈતૃક મકાન પુત્ર કરણને આપ્યું છે. આ સંબંધમાં તેમણે એક પોસ્ટ પણ શેર કરી.
પોસ્ટની સાથે તેમણે અમૃતસરના ઘરમાં ગૃહ પ્રવેશના ફોટા પણ શેર કર્યા. આની સાથે તેમણે લખ્યું કે રાજકારણમાંથી પૈસા લીધા વિના તેમણે પોતાની મહેનતથી આ ઘર બનાવ્યું છે. માતા પાર્વતીની કૃપાથી તેમને આ બધું મળ્યું.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું કે- મા પાર્વતીના આશીર્વાદથી અમૃતસરને આપેલા વચનનું માન રાખવા માટે મેં જે ઘર બનાવ્યું હતું. તેના વિશે લોકોએ કહ્યું હતું કે ચૂંટણી પછી હું એક પ્રવાસી પક્ષી બની જઈશ. મેં તેમને ખાતરી આપી હતી કે હું અહીં જ રહીશ. સાંસદ તરીકે બે કાર્યકાળ પૂરા થયા પછી પણ તે વચન પૂરું થઈ શક્યું ન હતું.
આગળ લખ્યું કે- નવરાત્રિના દિવસે મને બહાર નીકળીને કંઈક નવો સંકેત મળ્યો. બિગ બોસથી લઈને સ્ટાર પ્લસ સાથે હિન્દી કોમેન્ટ્રી સુધી અને પછી કપિલ શર્મા શો સુધી મેં 2022માં આ સફર શરૂ કરી અને 2024માં તેમની કૃપાથી તેને પૂરી કરી. રાજકારણમાં એક પણ પૈસો લીધો નથી. ફક્ત પોતાની મહેનતની કમાણીથી આ બધું મળ્યું. મારા પિતા દ્વારા બનાવવામાં આવેલું મારું પૈતૃક ઘર દીકરા કરણને મળશે અને અમૃતસરવાળું ઘર રાબિયાને મળશે.