દિવાળીનો તહેવાર શરૂ થવાને આડે હવે માત્ર બે જ દિવસનો સમય બાકી છે. આવા સમયે રાશનથી લઇને મીઠાઈની ખરીદી રહેતી હોય છે, પરંતુ દિવાળીના તહેવાર સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ચાલતું નથી.
જેને કારણે વેપારીઓ અને રાશનકાર્ડ ધારકો બન્ને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી પુરવઠા વિભાગના ધાંધિયા જોવા મળી રહ્યા છે.