તલાટીના ઉમેદવારો માટે દ્વારકા, ભાવનગર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મેના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાના અવસર પર મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 7મીમે રવિવારના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીના દ્વારા જણાવાયું છે. રાજકોટમાં 57 હજાર સહિત રાજ્યમાં 8.64 લાખ ઉમેદવારો રવિવારે તલાટીની પરીક્ષા આપવાના છે. ઉમેદવારોને દૂર કેન્દ્ર ફાળવાયા છે ત્યારે તેઓ સરળતાથી પહોંચી શકે તે માટે એસ.ટી નિગમ પણ રાજ્યમાં 4500 જેટલી બસ દોડાવવાનું આયોજન કર્યું છે. બીજી બાજુ રેલવેએ પણ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું છે. ટ્રેન વધુ માહિતી માટે યાત્રિકો રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *