જૂની અદાવતનો ખાર રાખીને 8 જેટલા શખસોનો યુવક સહિત બે પર હુમલો

રાજકોટના રૈયાધાર પાસે જૂની અદાવતનો ખાર રાખીને 8 જેટલા શખસોનો યુવક સહિત બે પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે 40 વર્ષીય જાવીદભાઇ બસીરભાઇ સકુરભાઇ ખાબુએ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ રોહિત ડાભી અને વિશાલ ગોહિલ નામના બે શખસ મથુરભાઈ ધામેલીયા અને યુસુભા દલ સાથે જૂની અદાવતનો ખાર રાખી ગાળો આપવા લાગ્યા હતા અને તારો પુત્ર નવાજ યુસુભા સાથે મળી મારવાની ધમકી આપે છે તેમ કહીને હુમલો કર્યો હતો. બાદમાં આ કામના અન્ય આરોપીઓ ત્યાં આવી જતા પોતાને તથા 16 વર્ષીય અમનભાઇને ગાળો આપી લાકડાના ધોકા અને પાઇપ તેમજ છરી વડે માર મારી માથાના મધ્ય ભાગે ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગાંધીગ્રામ-2 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *