જસદણ તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ હોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને વળતર સહાયની માંગણી કરી છે. અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે.