રાજકોટ જિલ્લાના જસદણના વિરનગર ગામે વિદ્યાર્થીના આપઘાટનો બનાવ સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય શિયાળ મથનને ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લીઘુ છે.
અભ્યાસના ટેન્શનમાં રહેતા યુવકે આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં સ્થળે પહોંચી આટકોટ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.