જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

બિપરજોય વાવાઝોડા સમયે ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં દ્વારકાધીશ જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. જે બાદ શનિવારે સવારે ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં જગતમંદિરના શિખર પર ચઢાવાયેલ એક ધ્વજાજીને ઉતાર્યા વગર ધ્વજદંડની નીચેના ભાગમાં બીજી ધ્વજાજીનું આરોહણ કરાતા એક જ માસની અંદર બીજી વખત એક સાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવાનો જ્વલેજ બનતો સંયોગ જોવા મળ્યો હતો.

જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ
બિપરજોય વાવાઝોડાં દરમ્યાન સર્જાયેલ સંયોગ વખતે સ્થાનીય જાણકારોએ ભગવાનનો શુભ સંકેત ગણાવી બિપરજોય વિપદામાંથી દ્વારકા હેમખેમ બચી જશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ જે સાચો ઠર્યો હતો. અષાઢ માસના વરસાદી માહોલમાં ફરીએક વખત આવો સંયોગ થતાં જેને પણ ધરતીપૂત્રો માટે ચોમાસું સારૂ વાના શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *