મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળના માલદામાં 1 એપ્રિલે બનેલી ઘટનાની તપાસ NIAને સોંપી દીધી છે. જેમાં ગ્રામજનોએ ત્રણ મહિલાઓ સહિત 7 ન્યાયિક અધિકારીઓને બંધક બનાવ્યા હતા. આ બધા માલદામાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અભિયાનમાં સામેલ હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, CEC કુમારે તપાસ NIAને સોંપી દીધી. NIAની ટીમ શુક્રવારે પશ્ચિમ બંગાળ પહોંચશે. ECIએ 2 એપ્રિલે જારી કરેલા એક પત્રમાં જણાવ્યું છે કે NIAની ટીમ પોતાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટને સોંપે. કેસની આગામી સુનાવણી 6 એપ્રિલે થશે.
આ તરફ, આયોગે ગુરુવારે જ SIRની 8મી સપ્લીમેન્ટરી યાદી જારી કરી દીધી છે. આયોગે જણાવ્યું કે તેણે પશ્ચિમ બંગાળમાં વિચારણા હેઠળના લગભગ 52 લાખ કેસોનો નિકાલ કરી દીધો છે. ECએ આશા વ્યક્ત કરી કે કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર આ પ્રક્રિયા આગામી 4 દિવસમાં પૂરી થઈ જશે.
આ ઘટનાથી રાજ્યમાં ફરીથી ઉથલપાથલ મચી ગઈ છે, અને TMC તથા BJP એકબીજા પર તેનો આરોપ લગાવી રહ્યા છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ અત્યાર સુધીમાં મતદાર યાદીમાંથી લગભગ 35 થી 40 ટકા નામ હટાવી દીધા છે. તેમણે કહ્યું, “લગભગ 52 લાખ કેસ, જે વિચારણા હેઠળ હતા, તેમનું વેરિફિકેશન અને નિકાલ ગુરુવાર સાંજ સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. બાકીના લગભગ 8 લાખ અરજદારોનું કામ ચાલી રહ્યું છે. જો વર્તમાન ગતિ જાળવી રાખવામાં આવે, તો પ્રક્રિયા 7 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે.”
ખરેખરમાં, બંગાળમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો 23 એપ્રિલે યોજાવાનો છે, જ્યારે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે. મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે.