ગોંડલમાં ફ્રૂટના ધંધાથીનું હાર્ટએટેક આવવાથી મોત થયું

ગોંડલમાં ફ્રુટના ધંધાથીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૂળ રાજકોટના જંગલેશ્વરના વતની અને હાલ ગોંડલમાં ફ્રૂટનો વેપાર કરતા ભરતભાઈ ખીમજીભાઇ રાઠોડ નામના 53 વર્ષના આધેડ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ગોંડલમાં પંચપીરની ધાર પાસે પોતાના ભાડાના મકાનમાં હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *