ગરદનના ભાગે ઈજાના નિશાન મળ્યાં, પરસ્પર લડાઈમાં મોતની સંભાવના

શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં મંગળવારે વધુ એક ચિત્તા તેજસનું મોત થયું હતું. તેની ગરદન પરના ઘા જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેજસે ચિત્તાઓની પરસ્પર લડાઈમાં જીવ ગુમાવ્યો છે.

પીસીસીએફ જેએસ ચૌહાણે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેજસની ગરદન પર ઘા જોવા મળ્યા હતા. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું મોત પરસ્પર સંઘર્ષ દરમિયાન થયું છે. બુધવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. છેલ્લા 4 મહિનામાં કુનોમાં મરનાર આ 7મો ચિત્તા છે.

70 વર્ષ પછી ચિત્તાઓ દેશમાં પરત ફર્યા હતા, જ્યારે 17 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયામાંથી લાવેલા 8 ચિત્તાને રિલીઝ કર્યા હતા. આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકાના 12 વધુ ચિત્તા કુનોમાં છોડવામાં આવ્યા હતા. એટલે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *