ગંજીવાડામાં યુવક ગળાફાંસો ખાઈ આપઘાત

શહેરમાં ગંજીવાડામાં રહેતા યુવકે અને માધાપરમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની છવાઇ છે. બનાવને પગલે પોલીસે તપાસ કરતા પરિવારને આપઘાતનું કારણ જાણતા ન હોય તપાસ યથાવત રાખી હતી.

ગંજીવાડામાં ભારતનગર રોડ પર રહેતા વિનોદભાઇ કનુભાઇ ડાભીએ પોતાના ઘેર છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરે તેના ભાભી જમવા માટે ઉપરના માળે બોલાવવા જતા યુવકને લટકતો જોઇ દેકારો કરતા પરિવાર સહિતના લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ કરતા 108ની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કરતા થોરાળા પોલીસ મથકના જમાદાર નિલેશભાઇ સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *