કુકી લોકોએ મૈતૈઈ વિસ્તારમાં અનેક ઘરો ફુંકી માર્યા

મણિપુરમાં મૈતેઈ સમુદાયને STનો દરજ્જો આપવાના વિરોધમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસા 20 દિવસ પછી ફરી ભડકી હતી. કર્ફ્યુ હળવો થતાં જ વિષ્ણપુર જિલ્લાના ત્રોંગ્લાઓબી ગામમાં હિંસા ફાટી નીકળી હતી. ખરેખરમાં, શંકાસ્પદ કુકી લોકોએ મંગળવારે ત્રણ મૈતેઈના ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો બદલો લેતા અન્ય સમાજના લોકોએ પણ ચાર ઘર સળગાવી દીધા હતા. ત્યારબાદ હથિયારબંધ લોકોએ વિષ્ણુપુરના મોઇરાંગના કેટલાક ગામો પર હુમલો કર્યો હતો.

હંગામો સાંભળીને મોઇરાંગ ખાતેના રાહત છાવણીમાંથી કેટલાક લોકો બહાર આવ્યા. આ દરમિયાન તોઈજામ ચંદ્રમાણી નામના યુવકને પીઠના ભાગે ગોળી વાગી હતી જે છાતીમાંથી પસાર થઈ હતી. માહિતી મળતા જ આસામ રાઈફલ્સના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે મૈતેઈ યુવાનોને ભગાડીને હિંસા વધતી અટકાવી. જવાનોએ અનેક કૂકી બંકરો તોડી નાખ્યા. ઘટનાને પગલે જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત ચંદ્રમણિએ બાદમાં મોતને ભેટ્યો હતો.

મૈતેઈ કહી રહ્યા – કુકી મુળ રહેવાસી નથી
કુકી સમુદાયના સભ્યોનું કહેવું છે કે કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (KNO) અને યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે રાજકીય સંવાદ દ્વારા ઉકેલ શોધવો જોઈએ. શા માટે સરકારના પ્રતિનિધિઓ માત્ર શાંતિ પુનઃસ્થાપિત કરવાની વાત કરવા અમારી પાસે આવી રહ્યા છે. પહેલા આપણી સમસ્યાઓ હલ થવી જોઈએ. જ્યારે, મૈતેઇ સમુદાયે કહ્યું કે કુકી મ્યાનમારથી આવેલા ઘૂસણખોર છે, તેમને બહાર કાઢી મુકવા જોઈએ. જ્યારે મૈતેઇ અહીંના ધરતીપુત્રો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *