ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મહાકુંભમાં છે. અહીં તેમણે પોતાના મસ્તક પર શિવલિંગ મૂકીને સંગમમાં ડૂબકી લગાવી હતી. યોગી પણ તેમની સાથે સંગમ ઘાટ સુધી ગયા હતા. યોગી અને ઉપરાષ્ટ્રપતિ પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી. અક્ષયવટના દર્શન કર્યા હતા.
આજે મહાકુંભમાં 77 દેશોમાંથી 118 ડેલિગેટ્સ આવ્યા છે. તેમણે પણ સંગમમાં સ્નાન કર્યું હતું. બીજી તરફ મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સખ્તાઈ બાદ હવે કોઈપણ વ્યક્તિના વાહનની અંદર જવા પર પ્રતિબંધ છે. અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી આ બાબતે નારાજગી દર્શાવી છે.
મહાકુંભમાં નાસભાગના ત્રીજા દિવસે સીએમ યોગી પ્રયાગરાજ પહોંચ્યા હતા. સૌથી પહેલા તે સંગમમાં પહોંચ્યા જ્યાં નાસભાગ મચી ગઈ હતી. કુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદને ઘટનાનું કારણ પૂછ્યું હતું.
યોગી ત્યાં લગભગ 10 મિનિટ રોકાયા હતા. અધિકારીઓને પ્રશ્ન કર્યા હતા. મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યા (28 જાન્યુઆરી)ની મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે સંગમ નોજ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સરકારના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 30ના મોત થયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયા છે.