ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ત્યાંથી ભારતીયોને એરલિફ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ વિમાન આજે તેહરાનથી નવી દિલ્હી માટે રવાના થશે.
જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ભારતીય દૂતાવાસે તેમની અંગત વિગતો અને પાસપોર્ટ એકત્રિત કરી લીધા છે. પ્રથમ બેચને સવારે 8 વાગ્યા સુધીમાં તૈયાર રહેવાની જાણકારી આપી દેવામાં આવી છે.
પ્રથમ બેચમાં ગોલેસ્તાન યુનિવર્સિટી, શાહિદ બહેશ્તી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ અને તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસના કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ઈરાનમાં લગભગ 10000 ભારતીયો રહે છે. તેમાંથી 2500-3000 વિદ્યાર્થીઓ છે, જેઓ મેડિકલનો અભ્યાસ કરવા ત્યાં ગયા હતા.