આટકોટ ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણી ભરાઇ જતાં હોય ત્યાં ટાસ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી લોકોમાં રાહતની લાગણી ફરી વળી હતી.
આટકોટ ગામનાં વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદી પાણી ખાડામાં ટાસ નાખવાની કામગીરીમાં કૈલાસનગર તરફ ગામમાં જતાં માર્ગ રસ્તાનો પણ સમાવેશ કરાતાં લોકોએ વહીવટદારનો આભાર માન્યો હતો અને તૂટેલા કોઝવેમાં પણ ટાસ નાખી દેવા આવે તેવી માંગણી કરવામાં આવી હતી.