શહેરમાં નાનામવા રોડ પર આંબેડકરનગરમાં રહેતા કોલેજિયન યુવાને બીમારીની વધુ પડતી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તાલુકા પોલીસે બનાવ આપઘાતનો કે અન્ય કઇ તે અંગે તપાસ હાથ ધરી હતી.
આંબેડકરનગરમાં રહેતા ધ્રુવ દિનેશભાઇ પરમાર (ઉ.17) તા.28ના રોજ તેના ઘેર એકલો હતો તે દરમિયાન બીમારીની વધુ દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સરવૈયા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક આત્મીય કોલેજમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને કેટલાક દિવસથી ટેન્શનમાં રહેતો હોય બહારથી ઘેર આવેલા પરિવારને જાણ થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરતા યુવકના પિતા મેટોડા ખાતે મજૂરીકામ કરતા હોવાનું જણાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.