અમદાવાદ બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગથી દોડધામ

અમદાવાદમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. બાપુનગર ખાતે આવેલા ફટાકડાબજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી.હાલ 70% આગ કાબુમાં આવી ગઈ છે. જ્યારે 30% જેટલી આગ બુઝાવવાની ટકા બાકી છે. હાલ સેક્ટર-1 JCP નીરજ બડગુર્જર અને DCP સુશીલ અગ્રવાલ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોને દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના બાપુનગર ખાતે અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા સંજયનગરના છાપરાની સામે આવેલા વિકાસ એસ્ટેટના ફટાકડાબજારમાં આગ લાગી હતી, જેથી અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *