રાજકોટનાં વોર્ડ નં-11ના અંબિકા ટાઉનશીપમાં થોડા મહિના પહેલા બનાવાયેલો નવો પેવર રોડ ભાંગી જતા આ વિસ્તારના લોકોએ પેવરથી રીપેરીંગની માંગણી કરી છે. વોર્ડ નં-11ના અંબિકા ટાઉનશિપ મુખ્ય માર્ગ નં.1ના રોડ ઉપર આશરે 8 મહિના પહેલા નવેનવો ડામર પેવર રોડ રસ્તો બનાવવામાં આવેલ હતો. તે રોડ ઉપર આવેલ ગાત્રાળ હોટલથી ક્રિષ્ના ટ્રેડિંગ થઈને જય દ્વારકાધીશ ચોક સુધીનો રોડ રસ્તો ખાડા ખબડાવાળો થઈ ગયો છે ત્યારે સીતાજી ટાઉનશિપ મેઈન રોડ રસ્તા ઉપર સર્વે કરાવીને ડામરનાં પેચવર્કનું કામ શરૂ કરાવવા રજુઆત કરાઇ છે. ઉપરાંત વોર્ડ નં-17ના બાબરીયા કોલોની શેરી નં. 7/3 ના સૂર્યમુખી હનુમાન મંદિર સામે આવેલ થાંભલાની સ્ટ્રીટ લાઈટમાં ઝાડની ડાળી નડતરરૂપ થવાથી અવરનવાર લાઈટ બંધ થઈ જાય છે. આથી લાઇન વૃક્ષની ડાળીઓના ટ્રીમીંગ કરાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી.